બારડોલીમાં વર્ષોથી રહેતા આદિવાસી સમાજના લોકોના ઘરોની આકારણી કરવા માગ

બારડોલીમાં વર્ષોથી રહેતા આદિવાસી સમાજના લોકોના ઘરોની આકારણી કરવા માગ

બારડોલીમાં વર્ષોથી રહેતા આદિવાસી સમાજના લોકોના ઘરોની આકારણી કરવા માગ

બારડોલી : બારડોલી નગરપાલિકા વિસ્તારમાં વર્ષોથી રહેતા અનુસુચિત જનજાતિના હળપતિ અને ઢોડિયા સમાજના ઘરોની આકારણી નહીં થતાં સરકારી યોજનાના લાભો મળી શકતા નથી. આથી સમાજના લોકો બુધવારના રોજ બારડોલી નગરપાલિકા કચેરી ખાતે પહોંચ્યા હતા અને આવેદનપત્ર આપી ઘરોની આકારણી કરવાની રજૂઆત કરી હતી.

બારડોલી નગરપાલિકામાં વર્ષો રહેતા આદિવાસી સમાજના ઘરોની આકારણી કરવામાં આવી નથી. આથી સમાજના લોકોને વેરો પણ લેવામાં આવતો નથી. સરકારી આકારણી ન થવાથી અને ઘરવેરા ન મળવાથી સરકારી યોજનાઓનો લાભ મળી શકતો નથી. ખાસ કરીને હળપતિ સમાજ અને ઢોડિયા પટેલ સમાજના લોકોનો સમાવેશ થાય છે. બુધવારના રોજ આદિવાસી પરિવારો મોટી સંખ્યામાં બારડોલી નગરપાલિકા કચેરી ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેમણે ઘરોની આકારણી કરવાની માગ કરી હતી. તેઓનું કહેવું છે કે, વસવાટ કરતા વિસ્તારોમાં વીજ કનેકશન છે, નળ કનેકશન સાથે પાણીનો વેરો પણ લેવાય છે, છતાં મકાનોની આકરણી થતી નથી અને જેને કારણે સરકારી લાભોથી આવા પરિવારો વંચિત રહેતા ભારે રોષ જોવા મળ્યો હતો.

બારડોલી નગરમાં ઢોડિયા, હળપતિ, ચૌધરી સમાજના લોકો જ્યાં રહે છે. એ જગ્યા એ સરકાર દ્વારા પ્લોટની ફાળવણી કરી સરકારી યોજના હેઠળ મકાનોના લાભો આપવા માંગ કરી હતી. તમામના કાચા પાકા મકાનોની આકારણી કરવામાં માટે માંગ કરી આવેદન પણ આપવામાં આવ્યું હતું. જો કે પાલિકાના જણાવ્યા મુજબ સરકારના સને 2005ના પરિપત્ર મુજબ સરકારી કે ખરાબાની જમીનો પર વસવાટ કરતા રહીશોને ઘરવેરો તેમજ આકારણી નિયમ પ્રમાણે નહીં થતી હોવાનું બહાર આવ્યું હતું.