વરાછારોડ ધ્વજ વંદન રાષ્ટ્રીય તહેવાર ઉજવણી

વરાછારોડ ધ્વજ વંદન રાષ્ટ્રીય તહેવાર ઉજવણી
વરાછારોડ ધ્વજ વંદન રાષ્ટ્રીય તહેવાર ઉજવણી


આજ રોજ વરાછારોડ મેડિકલ એસોસિયેશન દ્વારા ૧૫મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસે ધ્વજવંદન કાર્યક્રમ આયોજિત કરવામાં આવેલ, જે સારથી ડોક્ટર હાઉસ ખાતે રાખવામાં આવેલ હતો.
ધ્વજવંદન ડો. ભાવેશ તળાવીયા જે સુરતના ખ્યાતનામ કાર્ડિયોલોજીસ્ટ  છે, તેમનાં હસ્તે કરવામાં આવેલ.
આ કાર્યક્રમમાં પ્રમુખ ડો જીતેન્દ્ર ખેની, મંત્રી ડો અલ્પેશ કોડીલયા, અવેરનેસ કમિટી નાં ડો. કિશોર ખેની તથા ડો સંજય ગેડીયા તથા ટ્રસ્ટીશ્રીઓ, હોદ્દેદારશ્રીઓ, કમિટીઓ તથા વરાછા રોડ મેડિકલ એસોસિયેશન નાં સભ્યો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉજવણીમાં સુરત હોમ ગાર્ડ ના કમાન્ડર ડો. પ્રફુલ્લભાઇ શિરોયા તથા તેમના યુનિટ સાથે હાજર રહ્યી પરેડ કરી, ધ્વજવંદન તથા સમગ્ર કાર્યક્રમને ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં સહાય કરી હતી.