ભાવનગર-અમદાવાદ ઇન્ટરસીટી ટ્રેન શરૂ કરવા માગ કરાઈ, સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીએ રજૂઆત કરી મંત્રી ડો.મનસુખ માંડવીયાને અને સાંસદ ડૉ. ભારતીબેન શિયાળને સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ

ભાવનગર-અમદાવાદ ઇન્ટરસીટી ટ્રેન શરૂ કરવા માગ કરાઈ, સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીએ રજૂઆત કરી મંત્રી ડો.મનસુખ માંડવીયાને અને સાંસદ ડૉ. ભારતીબેન શિયાળને સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ

ભાવનગર-અમદાવાદ ઇન્ટરસીટી ટ્રેન શરૂ કરવા માગ કરાઈ, સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીએ રજૂઆત કરી  મંત્રી ડો.મનસુખ માંડવીયાને અને સાંસદ ડૉ. ભારતીબેન શિયાળને સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ

ભાવનગર-અમદાવાદ ઇન્ટરસીટી ટ્રેન શરૂ કરવા માગ કરાઈ, સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીએ રજૂઆત કરી મંત્રી ડો.મનસુખ માંડવીયાને અને સાંસદ ડૉ. ભારતીબેન શિયાળને સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીએ પત્ર લખ્યો સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ભાવનગર-અમદાવાદ ઇન્ટરસીટી ટ્રેન શરૂ કરવા માગ કરાઈ છે. મંત્રી ડો.મનસુખ માંડવીયાને અને સાંસદ ડૉ. ભારતીબેન શિયાળને આ અંગે રજૂઆત કરાઈ છે. ભાવનગર-બાંદ્રા ટ્રેનમાં ખુબ જ ટ્રાફિક રહે છે તેથી ભાવનગર-બાંદ્રા વચ્ચે સવારનાં સમયમાં બીજી એક ટ્રેન શરૂ કરવી જોઈએ. ભાવનગર-સુરત વચ્ચે પણ નિયમિત ટ્રેનની તાતી જરૂરોયાત છે. હવે જ્યારે બોટાદ-ગાંધીગ્રામ ગેજ કન્વર્ઝનની કામગીરી પૂર્ણ થયેલી છે ત્યારે અમદાવાદ ખાતે બે-ત્રણ દિવસ માટે પડી રહેતી લાંબા અંતરની ટ્રેનોને ભાવનગર સુધી લંબાવવી જોઈએ તેવી પણ માંગણી કરાઈ છે.મુસાફર જનતાને ખુબ જ લાભ મળશે સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીએ કરેલી રજૂઆતમાં જણાવ્યું કે, જો આ ટ્રેન શરૂ થશે તો મુસાફર જનતાને ખુબ જ લાભ મળશે અને સાથે સાથે ભાવનગરની રેલ કનેક્ટીવીટીમાં પણ વધારો થશે. પત્રમાં જણાવ્યું છે કે, યોગ્ય કાર્યવાહી અર્થે કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ એવમ કેમિકલ્સ અને ફર્ટીલાઈઝર્સ મંત્રી ડૉ.મનસુખ માંડવીયાને અને ભાવનગર-બોટાદનાં સાંસદ ડૉ. ભારતીબેન શિયાળને પણ મોકલવામાં આવેલી છે. લોકલ ટ્રેન પણ સત્વરે પુનઃ શરૂ કરવી સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્રારા ભાવનગર ડિવિઝનલ રેલવે મેનેજર મનોજ ગોયલને પત્ર પાઠવી જણાવવામાં આવ્યું છે કે, બોટાદ-ગાંધીગ્રામ ગેજ કન્વર્ઝનની કામગીરી પૂર્ણ થઇ ગયેલી છે અને બોટાદ-અમદાવાદ વચ્ચેનો ટ્રેન વ્યવહાર પણ શરૂ થઇ ગયો છે. ગેજ કન્વર્ઝનની કામગીરીને કારણે બંધ કરવામાં આવેલી ભાવનગર-અમદાવાદ ઇન્ટરસીટી સહીતની અન્ય લોકલ ટ્રેન પણ સત્વરે પુનઃ શરૂ કરવી જોઈએ.