ગણેશોત્સવની પ્રતિમાની ઉંચાઈ નક્કી કરતુ ફરમાન જાહેર કર્યું

ગણેશોત્સવની પ્રતિમાની ઉંચાઈ નક્કી કરતુ ફરમાન જાહેર કર્યું

ગણેશોત્સવની પ્રતિમાની ઉંચાઈ નક્કી કરતુ ફરમાન જાહેર કર્યું

રાજકોટમાં દર વર્ષે ગણેશ ઉત્સવ ધામધૂમથી ઉજવાય છે અને આ ઉત્સવમાં વિવિધ ગણેશ પંડાલો સ્થાપિત થતા હોય છે અને જુદા જુદા વિસ્તારમાં ગણેશની મૂર્તિ બેસાડીને ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે જો કે કોરોના મહામારીને કારણે છેલ્લા બે વર્ષથી ગણેશ ઉત્સવનું આયોજન કરવા પર પ્રતિબંધ છે ત્યારે આ વર્ષે ફરી એક વખત ગણેશોત્સવનું આયોજન માટે મંજૂરી મળી છે જો કે રાજકોટ પોલીસ કમિશનરના એક પ્રતિબંધને કારણે આ ગણેશ ઉત્સવ પર વિઘ્ન આવ્યું છે.

રાજકો શહેરમાં ગણેશ ઉત્સવમાં મૂર્તિની લંબાઈનું વિઘ્ન સામે આવ્યું છે કારણે કે રાજકોટ પોલીસ કમિશનરે ગણેશ ભગવાનની પ્રતિમા 9 ફૂટથી વધુ બનાવવા પર પ્રતિબંધ લગાડતું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. આ પ્રતિબંધ અંગેનું જાહેરનામું બહાર પાડ્યું ત્યાં સુધીમાં ઘણા આયોજકોએ 11 ફૂટની પ્રતિમા બનાવી છે અને હવે આયોજકો આ જાહેરનામા સામે નારાજ થયા છે.

રાજકોટ શહેરમાં મોટી સંખ્યામાં ગણેશ ઉત્સવના અનેક આયોજન થતા હોય છે અને રાજકોટના જાહેર સ્થળો પર આ પ્રતિમાનું સ્થાપન કરવામાં આવે છે જેથી જાહેર જનતાને આ ઉત્સવનો લાભ મળે. લોકો પોતાની ઘરે ગણેશની સ્થાપના કરતા હોય છે. આ વર્ષે બે વર્ષ પછી ગણેશ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે આ પ્રકારના જાહેરનામાથી આયોજકોને મુશ્કેલી પડી રહી છે.