સી.સી.ટીવી કેમેરા લગાવવાના નવા નિયમોના અધિનિયમમાં છે કેટલીક જોગવાઇઓ, જાણો શું છે જોગવાઈ

સી.સી.ટીવી કેમેરા લગાવવાના નવા નિયમોના અધિનિયમમાં છે કેટલીક જોગવાઇઓ, જાણો શું છે જોગવાઈ

સી.સી.ટીવી કેમેરા લગાવવાના નવા નિયમોના અધિનિયમમાં છે કેટલીક જોગવાઇઓ, જાણો શું છે જોગવાઈ

જાહેર સ્થળો-મોટી સંખ્યામાં લોકોની અવર-જવર વાળા સ્થાનો સાથે હવે એક જ સમયે ૧ હજારથી વધુ લોકો ભેગા થતા હોય કે દિવસ દરમ્યાન ૧ હજાર લોકોની અવર-જવર હોય તેવી સંસ્થાઓએ સી.સી.ટીવી કેમેરા લગાવવાના રહેશે. તદઅનુસાર, મહાનગરપાલિકા વિસ્તારો માટે નિવાસી અધિક કલેક્ટરની અધ્યક્ષતામાં સમિતી રચવામાં આવશે તેમજ નાયબ પોલીસ અધિક્ષકથી ઉપરની કક્ષાના ના હોય તેવા અધિકારી સભ્ય સચિવ રહેશે. નાયબ મ્યુનિસિપલ કમિશનર સમિતીના સભ્ય રહેશે તેમજ જે વિસ્તારને અધિનિયમની જોગવાઇ લાગુ પડતી હોય તે વિસ્તારમાં આવેલા એકમોના એસોસિયેશનના ૩ કરતા વધુ ન હોય એટલા પ્રતિનિધિઓ પણ સમિતિના સભ્ય રહેશે તથા તેમની નિયુક્તિનો વધુમાં વધુ સમયગાળો બે વર્ષનો રહેશે. પોલીસ કમિશનરેટ વિસ્તારમાં સમિતીના સભ્ય સચિવ તરીકે નાયબ પોલીસ કમિશનર કામગીરી બજાવશે. આવી સમિતી દ્વારા લેખિતમાં ભલામણ કરવામાં આવ્યા હોય તેવા જાહેર સલામતીના પગલાં ૬ મહિનાની અંદર ગોઠવવાનું સંબંધિત સંસ્થાઓ માટે ફરજિયાત રહેશે. આ અધિનિયમમાં એવી જોગવાઇ પણ કરવામાં આવી છે કે, જાહેર સલામતિ સમિતી કે જાહેર સલામતિ પેટા સમિતી દ્વારા અધિકૃત કરવામાં આવ્યા હોય તેવા અધિકારી બે દિવસની નોટીસ/સૂચના આપ્યા પછી દિવસના વ્યાજબી કલાકોમાં આવા એકમો, સંસ્થાઓમાં સી.સી.ટીવી કેમેરાની સિસ્ટમનું નિરીક્ષણ કરીને કોઇ પણ ડિફોલ્ટ અથવા ઉલ્લંઘનના કિસ્સામાં જાહેર સુરક્ષા સમિતીને પોતાનો અહેવાલ આપશે. કોઇ પણ વ્યક્તિ અથવા સંસ્થા જાહેર સલામતી સમિતી દ્વારા કરવામાં આવેલા હુકમ સામે ૩૦ દિવસની મર્યાદામાં જિલ્લા મેજીસ્ટ્રેટને અપીલ કરી શકશે. તેવી જોગવાઇ પણ આ અધિનિયમમાં રાખવામાં આવેલી છે. જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા અપીલ દાખલ કર્યાની તારીખથી ૬૦ દિવસમાં નિર્ણય આપવાનો રહેશે તેમજ દંડની રકમ મહેસુલી રાહે વસુલ કરવાની રહેશે.આ અધિનિયમનો અમલ થતાં રાજ્યના નગરો મહાનગરોમાં નાગરિકોની સલામતી અને સુરક્ષાના ઉપાયો વધુ સંગીન બનશે.