ભાવનગર જિલ્લાના પાલીતાણા યશોવીજયજી ગુરુકુળમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો પ્રોગ્રામ અંતર્ગત તમાકુથી થતા નુકસાન અંગે વિદ્યાર્થી સેમીનાર આરોગ્ય શાખા, જિલ્લા પંચાયતના ઉપક્રમે ટોબેકો કન્ટ્રોલ પ્રોગ્રામ
ભાવનગર જિલ્લાના પાલીતાણા યશોવીજયજી ગુરુકુળમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો પ્રોગ્રામ અંતર્ગત તમાકુથી થતા નુકસાન અંગે વિદ્યાર્થી સેમીનાર આરોગ્ય શાખા, જિલ્લા પંચાયતના ઉપક્રમે ટોબેકો કન્ટ્રોલ પ્રોગ્રામ
ભાવનગર જિલ્લાના પાલીતાણા યશોવીજયજી ગુરુકુળમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો પ્રોગ્રામ અંતર્ગત તમાકુથી થતા નુકસાન અંગે વિદ્યાર્થી સેમીનાર આરોગ્ય શાખા, જિલ્લા પંચાયતના ઉપક્રમે ટોબેકો કન્ટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત આજના યુવા વિદ્યાર્થીઓમાં તમાકુથી જે પ્રકારની વ્યસનની બદીઓ ફેલાય છે અને વિદ્યાર્થીઓ વ્યસન તરફ વળવા લાગ્યા છે તેવા સમયમાં દેશના આ યુવાધનને બચાવવા તમાકુથી થતા ગેરફાયદાઓ અને શારીરિક, માનસિક અને આર્થિક જે નુકસાન થઈ રહ્યું છે તે ન થાય તે માટે શ્રી ડોક્ટર સુનિલભાઈ પટેલ ઇ. એમ. ઓ. , શ્રી હેતલબેન મકવાણા ટોબેકો કન્ટ્રોલ કાઉન્સેલર અને શ્રી હરસૂરભાઈ આહીર સુપરવાઈઝર દ્વારા તારીખ 21/7 ગુરૂવારના રોજ સવારે 11કલાકે શ્રીમતી એમ. એન. એચ. દોશી મિડલ સ્કૂલ અને શ્રી યશોવિજયજી જૈન ગુરુકુળ પાલીતાણાના 500 વિદ્યાર્થીઓ માટે ડ્રોઈંગ કોમ્પીટીશન અને તેમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ અને પ્રથમ દસ ક્રમાંકે આવનાર વિદ્યાર્થીઓને મહેમાનશ્રીઓના વરદહસ્તે ઇનામો આપવાનો કાર્યક્રમ યોજેલ હતો. જેમાં અતિથિવિશેષ શ્રી કુમારપાલસિંહ સરવૈયા ડાયરેકટરશ્રી, ન્યૂ એરા એજ્યુકેશન હબ ઉપસ્થિત રહ્યા હતા. શાબ્દિક સ્વાગત ગુરુકુળના પ્રિન્સીપાલશ્રી ખાચરસાહેબે કરેલ. સમગ્ર કાર્યક્રમની રૂપરેખા શ્રી નરેન્દ્રભાઇ પનારાએ આપેલ. પ્રાસંગિક ઉદબોધન શ્રી મહેન્દ્રભાઈ શાહ, શ્રી સંદીપભાઈ સંઘવી, શ્રી હેતલબેન મકવાણાએ કરેલ. આભારવિધિ દોશી મિડલ સ્કુલના પ્રિન્સીપાલ શ્રી સી. આઇ. વારૈયાએ કરેલ અને સંચાલન શિક્ષકશ્રી અમરચોલી સાહેબે કરેલ. વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ અને ઇનામો મહેમાનશ્રીઓના વરદહસ્તે આપેલ