“હર ઘર તિરંગા” પહેલ અંતર્ગત સુરત ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં ભવ્યાતિભવ્ય તિરંગા યાત્રા યોજાઈ

“હર ઘર તિરંગા” પહેલ અંતર્ગત સુરત ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં ભવ્યાતિભવ્ય તિરંગા યાત્રા યોજાઈ

લાલભાઈ કોન્ટ્રાક્ટરથી રાહુલરાજ મોલ થઈ કારગીલચોક સુધી યાત્રા

શહેરમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત તિરંગાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ તિરંગાયાત્રા ડુમસ રોડ લાલભાઈ કોન્ટ્રાકટરથી રાહુલરાજ મોલ થઈ કારગીલચોક સુધી પદયાત્રા સ્વરૂપે યોજાનાર છે. જેને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુરત પહોંચ્યા છે. ત્યારબાદ તિરંગાયાત્રા સ્થળે પહોંચી યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. કાર્યક્રમ સ્થળ પર દરેકના હાથમાં રાષ્ટ્રધ્વજ હોવાથી દેશ ભક્તિસભર માહોલ છવાયો હતો.

આ યાત્રામાં પ્રદેશ પ્રમુખ શ્રી સી. આર. પાટીલ , પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, પ્રદેશ મહામંત્રી શ્રી પ્રદીપસિંહ વાઘેલા, કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, શ્રી પૂર્ણેશભાઈ મોદી, ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, રાજ્યકક્ષાના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ, શ્રી વિનોદભાઈ મોરડીયા, મેયર શ્રીમતી હેમાલીબેન બોઘાવાલા સહિત ધારાસભ્યશ્રીઓ, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં સુરતવાસીઓ જોડાયા.

તિરંગાયાત્રાના રૂટ પર ડાયવર્ઝન

આમ જનતાને અવરજવરમાં કોઈ અડચણ ન થાય તે માટે તિરંગા યાત્રાના રૂટ પર પદયાત્રા પુરી ન થાય ત્યા સુધી ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. આ કાર્યક્રમ સવારથી શરૂ થઈ બપોર સુધી પૂરો થવાનો હોઈ ટ્રાફિકની વધુ સમસ્યા જોવા નહીં મળે.

આ રૂટો ડાયવર્ટ

  • એસકે નગર તરફથી અઠવાગેટ આવતા વાહનો વાય જકંશનથી ઉધના મગદલ્લા રોડ અને VIP રોડથી અઠવાગેટ તરફ આવી શકશે
  • અઠવાગેટ તરફથી એરપોર્ટ અને એસકેનગર તરફ જતા વાહનો સીટીલાઇટ રોડ થઈ ઉધના મગદલ્લા રોડ અને વીઆઇપી રોડ ઉપયોગ કરી વાય જકંશનથી એરપોર્ટ અને એસકેનગર જઈ શકશે
  • પાલ ઉમરા બ્રીજ પરથી આવતા વાહનો SVNIT સર્કલથી ડાબે ટર્ન લઈ પાર્લે પોઇન્ટ તરફ આવી શકશે
  • અઠવાગેટથી પાર્લે પોઇન્ટ બ્રીજ થઈ વાહન આવે તો તેમણે SVNIT સર્કલથી યુ-ટર્ન લઈ પાર્લે પોઇન્ટથી સીટીલાઇટ રોડનો ઉપયોગ કરી શકશે.

IAMSURAT સાથે જોડાઓ : FACEBOOK / TWITTER / INSTAGRAM / WHATSAPP