શેરમાર્કેટના રાજા રાકેશ ઝૂનઝૂનવાલાનું નિધન : શેર માર્કેટ ના ઇન્વેસ્ટમેન્ટથી આજે તેમને 43 હજાર કરોડનું એમ્પાયર બનાવ્યું

શેરમાર્કેટના રાજા રાકેશ ઝૂનઝૂનવાલાનું નિધન : શેર માર્કેટ ના ઇન્વેસ્ટમેન્ટથી આજે તેમને 43 હજાર કરોડનું એમ્પાયર બનાવ્યું

શેરમાર્કેટના કિંગ રાકેશ ઝૂનઝૂનવાલાનું નિધન થયું છે.​​​​​​ તેમણે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ લીધા હતા. દલાલ સ્ટ્રીટના બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલાનું આજે સવારે નિધન થયું છે. રાકેશ ઝુનઝુનવાલા, જેમણે રૂ. 5000 થી રૂ. 43.39 હજાર કરોડની સફર કરનાર શેરબજારના બિગ બુલ ઝુનઝુનવાલા 62 વર્ષના હતા. ઝુનઝુનવાલાએ ગયા અઠવાડિયે'અકાસા' એરલાઇન સાથે ઉડ્ડયન ક્ષેત્રમાં પણ પ્રવેશ કર્યો હતો. 1992માં જ્યારે હર્ષદ મહેતા કૌભાંડનો પર્દાફાશ થયો ત્યારેતેમણે શોર્ટ સેલિંગ દ્વારા જંગી નફો કર્યો હતો.

અકાસા એરની કામગીરી શરૂ થઈ ગઈ છે

અકાસાની પ્રથમ કોમર્શિયલ ફ્લાઈટ મુંબઈથી અમદાવાદ માટે ઉડાન ભરી હતી. ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અકાસાએરની પ્રથમ ફ્લાઇટના ઉદઘાટન સમારોહમાં હાજર રહ્યા હતા. તેમણે અકાસાની પ્રથમ કોમર્શિયલ ફ્લાઈટને લીલી ઝંડી બતાવીહતી. તેમની સાથે કેન્દ્રીય રાજ્ય મંત્રી વીકે સિંહ પણ હાજર હતા. અકાસા એરએ 13મી ઓગસ્ટથી ઘણા વધુ રૂટ પર તેની સેવાશરૂ કરી છે.

ભારતીય શેરબજારના 'બિગ બુલ' કહેવામાં આવે છે

રાકેશ ઝુનઝુનવાલાએ કોલેજના દિવસોથી શેરબજારમાં રોકાણ કરવાનું શરૂ કર્યું હતું. એકવાર રાકેશ ઝુનઝુનવાલાએ કહ્યુંહતુ કે શરૂઆતમાં $100નું રોકાણ કર્યું હતુ. ખાસ વાત છે કે તે સમયે સેન્સેક્સ ઈન્ડેક્સ 150 પોઈન્ટ પર હતો, જે હવે 60 હજારના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે.