અમદાવાદમાં કોર્પોરેશન સ્ટેન્ડીગ કમિટીએ 3,330 લાખથી વધુ રકમનાં કામોને મંજૂરી આપી

અમદાવાદમાં કોર્પોરેશન સ્ટેન્ડીગ કમિટીએ 3,330 લાખથી વધુ રકમનાં કામોને મંજૂરી આપી

અમદાવાદમાં કોર્પોરેશન સ્ટેન્ડીગ કમિટીએ 3,330 લાખથી વધુ રકમનાં કામોને મંજૂરી આપી

મેયર કિરીટભાઈ પરમાર, ડે. મેયર ગીતાબેન પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હીતેશભાઈ બારોટ, ભાજપ નેતા ભાસ્કરભાઈ ભટ્ટ, દંડક અરૂણસિંહ રાજપૂત સાથેના પદાધિકારીઓની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી. જેમાં અમદાવાદમાં કોર્પોરેશન સ્ટેન્ડીગ કમિટીએ 3,330 લાખથી વધુ રકમનાં કામોને મંજૂરી આપી છે. સેન્ટ્રલ ઓફિસ, પબ્લિસિટી અને સી.એન.સી.ડી. ખાતાના કામો તેમજ વોટર સપ્લાય એન્ડ સુઅરેજ, હેલ્થ અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અને હોસ્પિટલ કમિટીના કામોને મંજૂરી આપવામાં આવી છે.વોટર સપ્લાય એન્ડ સુઅરેજ કમિટી દ્વારા રજૂ થયેલ કામો પૈકી દક્ષિણ પશ્ચિમ, ઉત્તર પશ્ચિમ, મધ્ય, પશ્ચિમ અને પૂર્વ ઝોનના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટના કામો થશે. આ ઉપરાંત ઈલેક્ટ્રીક, મીકેનીકલ અપગ્રેડેશન, ઓગમેન્ટેશન માટે SITCની કામગીરી, વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનના કમાન્ડ એરીયામાં ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક નાંખવા સહીતના કામો પણ કરવામાં આવશે. સ્ટ્રોમ વોટર લાઈન અપગ્રેડનું કામ, ડ્રેનેજ તથા સ્ટ્રોમ વોટર લાઈનને સી.સી.ટી.વી. કેમેરાથી ડીસીલ્ટીંગ કરવાનું કામ, ડ્રેનેજ લાઈન નવી નાખવી, મશીન હોલ ચેમ્બર બનાવવા તથા મેઇન્ટેનન્સ કરવાનું કામ પણ કરવામાં આવશે.200 MLD રાસ્કા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે જરૂરી અપગ્રેડેશન, ઓગમેન્ટેશનની SITCની કામગીરી, પાણીની ડી.આઈ. લાઈન નાંખવાનું કામ પણ આ ફાળવણી હેઠળ કરવામાં આવશે. આ સાથે પાણીના અન્ય પ્રશ્નોને જોતા વોટર ઓપરેશન ખાતાના કુલ ૨૭ નંગ બોરવેલના સબમર્સિબલ પંપ સેટ અને તેને સંલગ્ન જરૂરી ઈલેક્ટ્રી, મિકેનીકલ SITC અને કોમ્પ્રીહેન્સીવ રીપેરીંગ સહિતની કામગીરી જેવા વિવિધ કામો માટે કુલ 3260 લાખથી વધુના કામોને મંજૂરી આપવામાં આવી છે.હેલ્થ અને સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટી દ્વારા રજૂ થયેલ અર્બન પ્રાઈમરી હેલ્થ સેન્ટર ખાતે ૨ વર્ષ માટે આઉટ સોર્સથી જરૂરી મેનપાવર પૂરા પાડવાના કામો પૂર્ણ કરાશે. ઉપરાંત, હોસ્પિટલ કમિટી દ્વારા રજૂ થયેલ જનરલ હોસ્પિટલના એનેસ્થેસીયા વિભાગની જરૂરિયાત સારું રૂ 70 લાખના ખર્ચે કુલ 2 નંગ એનેસ્થેસીયા વર્કસ્ટેશન ખરીદ કરવાના કામને મંજૂરી આપવામાં આવી છે. વધુમાં, તાકિદના કામ તરીકે રજૂ થયેલ નવાવાડજ વોર્ડમાં કલ્પતરૂ ફ્લેટની સામે આવેલ મ્યુ. ગાર્ડનને સ્વ. ડૉ. અમૃતભાઈ કડીવાળા ઉદ્યાન નામાભિધાન કરવાના કામને મંજૂરી આપવામાં આવી છે.