*નવો નિયમ / હર ઘર તિરંગા અભિયાન: હવે રાત-દિવસ આપના ઘરે ફરકાવી શકશો તિરંગો, સરકારે બદલ્યા નિયમો*

*નવો નિયમ / હર ઘર તિરંગા અભિયાન: હવે રાત-દિવસ આપના ઘરે ફરકાવી શકશો તિરંગો, સરકારે બદલ્યા નિયમો*

*નવો નિયમ / હર ઘર તિરંગા અભિયાન: હવે રાત-દિવસ આપના ઘરે ફરકાવી શકશો તિરંગો, સરકારે બદલ્યા નિયમો*

• સ્વતંત્રતા દિવસ પહેલા હર ઘર તિરંગા
• અભિયાન શરૂ થશે
• સામાન્ય જનતા માટે તિરંગો ફરકાવવાના નિયમો બદલાયા
• હવે રાત દિવસ ફરકાવી શકશો તિરંગો
    હવે કોઈ પણ વ્યક્તિ પોતાના ઘરે રાત દિવસ તિરંગો ફરકાવી શકશે. કારણ કે કેન્દ્રની મોદી સરકાર સ્વતંત્રતા દિવસ પહેલા 'હર ઘર તિરંગા સમારંભ' થી તિરંગો ફરકાવાના નિયમોમાં મહત્વના ફેરફાર કરી રહી છે.
     અત્યાર સુધી જનતાને સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી રાષ્ટ્રીય ધ્વજ ફરકાવાની મંજૂરી હતી.
     નવા નિયમોને લઈને કહેવામા આવ્યું છે કે, ભારતીય ધ્વજ સંહિતા 2002માં સંશોધન કરવામાં આવ્યું છે. નવા નિયમ આ પ્રકાર હશે. રાષ્ટ્રીય ધ્વજ કોઈ પણ ખુલ્લા સ્થાન પર અથવા તો કોઈ જનતાના સભ્યના ઘરમાં તે ફરકાવવામાં આવે છે, હવે તેને રાત દિવસ ફરકાવી શકાશે.
    તિરંગો ફરકાવવા માટે પહેલા આવા નિયમો હતા.
આપને જણાવી દઈએ કે આ અગાઉ નિયમ હતો કે, જ્યારે રાષ્ટ્રીય ધ્વજને ખુલ્લી જગ્યા પર ફરકાવવામાં આવે છો, જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી ફરકાવવો જોઈએ. પછી ભલેને હવામાન ગમે તેવું હોય.
ગૃહ સચિવે પોતાના પત્રમાં કહ્યું છે કે, આ પગલાથી નાગરિકોને હર ઘર તિરંગા સમારંભમાં ભાગ લેવા અને પોતાના ઘરોમાં રાષ્ટ્રીય ધ્વજને ફરકાવવા માટે પ્રોત્સાહિત કરવાનો ઉદ્દેશ્યથી ઉઠાવવામાં આવ્યું છે. 
    આ વર્ષે આપણે આઝાદીનો અમૃત મહોત્સવ પણ મનાવી રહ્યા છીએ. તો આવો આપણે તિરંગા આંદોલનને મજબૂત કરીએ.